જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Monday, January 20, 2025

મન મરકટને વારો

(રાગ: દેખો દરિયા કેરી લ્હેરી)

મન મરકટને વારો પ્રપંચમાંથી મન મરકટને વારો.....હા

ક્ષમાનો દંડો દયાની દોરી - સહન સાણસે ઝાલોજી

બહાર ભટકતી ચિત્તવૃત્તિને સદગુરુ શબ્દે વારો...પ્રપંચમાંથી મન મરકટ...

અસ્થિરતા એ સ્વભાવ મનનો વાયુ લ્હેરે ફરનારો.....હા

સુદ્ધ બુદ્ધિએ સ્નાન કરાવી રાખો સોહંગ ભણનારો...પ્રપંચમાંથી મન મરકટ...

મનનું જાડાપણું એ માયા તેથી ચેતી ચાલો.......હા

અવળગતિ કરતુ દેખીને ઝટપટ તેને ઝાલો...પ્રપંચમાંથી મન મરકટ...

હંસપદમાં મનને સ્થાપી કાર્ય પોતાનું સાધો.......હા

ચુંથારામ સંતનકે શરણે સદગુરુને આરાધો...પ્રપંચમાંથી મન મરકટ...

No comments: