(રાગ: વારુ મારા વીરા રે સંગ ના કરીએ નીચનો)
હરિને ભરોસે રહીએ રે આતમ લ્હાવો લીજીએ રે જી...
મોંઘો મનખો નહીં આવે વારંવાર....હરિને ભરોસે રહીએ.......
ભજનાનંદે ફરીએ રે સંત સમાગમ કીજીએ રે જી....
દયા, દીનતા, નયનોમાં નિર્મળ પ્યાર....હરિને ભરોસે રહીએ.......
સંતો દેખી નમીએ રે બ્રહ્મ ભાવે ભેટીએ રે જી....
ભેદભ્રમણા રાખો નહીં જ લગાર....હરિને ભરોસે રહીએ.......
હરિ ગુરુ સંત એક રૂપે રે વેદ વાણી એમ વદે રે જી....
ચુંથારામ કહે માનો સંતોનો ઉપકાર....હરિને ભરોસે રહીએ.......
No comments:
Post a Comment