જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Monday, January 20, 2025

ન્યારો તો નિર્મળ કહાવ્યો

(રાગ: દેખો દરિયા કેરી લ્હેરી)

ન્યારો તે નિર્મળ કહાવ્યો નિજાનંદ ન્યારો તે નિર્મળ કહાવ્યો....હા

શબ્દ વિચારે હ્રદય આકાશે શબ્દની પાસે રહેનારો.....હા

પૂરણ બ્રહ્મ પરમાત્મા પ્રકાશે તુરીયાથી અતીત સોહાવ્યો...નિજાનંદ ન્યારો.....

ત્રણે અવસ્થાથી વેગળો દીસે સુખ દુઃખ થાકી છેટો.....હા

બુદ્ધિ અથારથ સુરત વિકસે મન મરઘો નાદે ઘવાયો...નિજાનંદ ન્યારો.....

હાલતાં ચાલતાં સ્થિર રહીને નિંદ્રાથી જાગી જનારો....હા

ચુંથારામ કહે ત્રણેનો સાક્ષી પાપ પુણ્યથી રહે ન્યારો...નિજાનંદ ન્યારો.....

No comments: