(રાગ: દેખો દરિયા કેરી લ્હેરી)
ન્યારો તે નિર્મળ કહાવ્યો નિજાનંદ ન્યારો તે નિર્મળ કહાવ્યો....હા
શબ્દ વિચારે હ્રદય આકાશે શબ્દની પાસે રહેનારો.....હા
પૂરણ બ્રહ્મ પરમાત્મા પ્રકાશે તુરીયાથી અતીત સોહાવ્યો...નિજાનંદ ન્યારો.....
ત્રણે અવસ્થાથી વેગળો દીસે સુખ દુઃખ થાકી છેટો.....હા
બુદ્ધિ અથારથ સુરત વિકસે મન મરઘો નાદે ઘવાયો...નિજાનંદ ન્યારો.....
હાલતાં ચાલતાં સ્થિર રહીને નિંદ્રાથી જાગી જનારો....હા
ચુંથારામ કહે ત્રણેનો સાક્ષી પાપ પુણ્યથી રહે ન્યારો...નિજાનંદ ન્યારો.....
No comments:
Post a Comment