જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Friday, January 24, 2025

જુઠા જગની જુઠી સંગત

(રાગ: એક પરદેશી મેરા દિલ લે ગયા)

જુઠા જગની જુઠી સંગત અંકોડે અંકાય.......

            ........મનના મેલા માનવીયોમાં ઢચુપચુ થાય 

ઘર ઘર ફરતા ગધેડા પર ગુણો લદાઈ જાય......

            ........મનના મેલા માનવીયોમાં ઢચુપચુ થાય

વાણીમાં વેદાંતનાં તત્વો સુણાવે - ઘેર જઈ દેવલાંની ટોકરી બજાવે

સ્વારથ હોય ત્યારે લટ્ટુ બની જાય......

            ........મનના મેલા માનવીયોમાં ઢચુપચુ થાય

ધનધાંખનામાં ધર્મ બગાડે - પરહિતમાં જઈ પથરો નંખાવે 

પર પ્રાણ દુભાવી પોતે મલકાય.............

            ........મનના મેલા માનવીયોમાં ઢચુપચુ થાય

અંતરમાં જુદુંને બહાર જુદું - પાખંડ મેળવવાથી વધી પડ્યું બિંદુ

ચુંથારામ સદગુરુ શરણમાં જાય.......

            ........મનના મેલા માનવીયોમાં ઢચુપચુ થાય

No comments: