(રાગ: જાગો જાગો જીવાભાઈ જાગજો રે)
જેની જગમાંથી રૂચી ઊઠી ગઈ રે
જેની મતીમાં શામળો સોહાય....અલખધણી અળગો નથી
જેના નયનોમાં આત્મતેજજળકી રહ્યું
જેની વાણીમાં સત્યનો પ્રકાશ....અલખધણી અળગો નથી
જેના શ્રવણમાં સંતોના શબ્દો રહ્યા
જેના હૈયામાં સદગુરુ છાંય....અલખધણી અળગો નથી
જેની સુરતામાં સ્વ-સ્વરૂપ હીરલો રમે
જેના કંઠે કરુણ રણકાર....અલખધણી અળગો નથી
જેને રોમ-રોમ વિહવળતા પ્રગટી રહી
ચુંથારામ ગુરુકૃપાનાં એંધાણ....અલખધણી અળગો નથી
No comments:
Post a Comment