(રાગ: તુલસી મગન ભયો રામ ગુણ ગાય છે)
કહે ગુરુદેવ ઉગે અનુભવ નિજનો
એકરૂપ સબ જગે પ્રકાશ પરીબ્રહ્મનો...કહે ગુરુદેવ.....
અહંકારની ઓથમાં ભગવાન તો ભરાય ના
સુખની ઈચ્છા કરો તો તજો ભાવ દંભનો....કહે ગુરુદેવ....
અહંતા ને મમતામાં પડી લુબ્ધ થાય ના
મનના મઢ્યા વેગ છોડી બોધ પામે નિજનો......કહે ગુરુદેવ....
એક બ્રહ્મ સર્વમહી દુજો દરસે નહીં
દાસ ચુંથારામ રમે રાસલીલા ખેલનો.....કહે ગુરુદેવ.....
No comments:
Post a Comment