(રાગ: આતો દેવાધિ દેવ કહેવાય)
જેના જીવનમાં શાંતિ સોહાય સંત રૂપ એ જ ગણાય
જેના ગર્વનો પડદો ચીરાય સંત રૂપ એ જ ગણાય
જેના અંતરથી ગર્વનો કાંટો ગળે
દૂધ સાકળ મળે એમ સૌમાં ભળે
જેની મોટાઈ મનથી હણાય સંત રૂપ એ જ ગણાય
જે જે નાના થયા તે ઊંચા બને
જળ નીચાણમાં દોડી દોડી ઠરે
નમ્ર બનવામાં ચિત્ત દોરાય સંત રૂપ એ જ ગણાય
નાની કીડી સાકર સ્વાદ ચાખી લેતી
મોટો હાથી તે ફાકે ધૂળ રેતી
નમ્ર બનવાથી ગુણો ગ્રાહાય સંત રૂપ એ જ ગણાય
તાડ વૃક્ષ ઊંચું ઊંચું જાય વધી
કદળી ફળથી નીચી જાયે લચી
પ્રભુ ચુંથાને કરજ્યોસહાય સંત રૂપ એ જ ગણાય
No comments:
Post a Comment