જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Sunday, January 12, 2025

જેના જીવનમાં શાંતિ સોહાય

(રાગ: આતો દેવાધિ દેવ કહેવાય)

જેના જીવનમાં શાંતિ સોહાય સંત રૂપ એ જ ગણાય 

જેના ગર્વનો પડદો ચીરાય સંત રૂપ એ જ ગણાય 

જેના અંતરથી ગર્વનો કાંટો ગળે 

દૂધ સાકળ મળે એમ સૌમાં ભળે

જેની મોટાઈ મનથી હણાય સંત રૂપ એ જ ગણાય 

જે જે નાના થયા તે ઊંચા બને 

જળ નીચાણમાં દોડી દોડી ઠરે 

નમ્ર બનવામાં ચિત્ત દોરાય સંત રૂપ એ જ ગણાય 

નાની કીડી સાકર સ્વાદ ચાખી લેતી 

મોટો હાથી તે ફાકે ધૂળ રેતી 

નમ્ર બનવાથી ગુણો ગ્રાહાય સંત રૂપ એ જ ગણાય 

તાડ વૃક્ષ ઊંચું ઊંચું જાય વધી 

કદળી ફળથી નીચી જાયે લચી 

પ્રભુ ચુંથાને કરજ્યોસહાય સંત રૂપ એ જ ગણાય 

No comments: